શું તમે ફેસબુક ને ડીલીટ કરી ને મેસેન્જર ને રાખી શકો છો?

By Gizbot Bureau
|

એ સંપૂર્ણ રીતે શક્ય નથી કે તમે તમારા ફેસબુક ને સંપૂર્ણ રીતે ડીલીટ કરી નાખો અને મેસેન્જર નો ઉપીયોગ કરી શકો. પરંતુ તમે તમારા ફેસબુક ને ડીલીટ કર્યા પછી મેસેન્જર ઇવેન્ટ નો ઉપીયોગ કરી શકો છો. જેનો અર્થ એ થાય છે કે તમારું એકાઉન્ટ રિએક્ટિવ નહિ થાય પરંતુ તમે તમારા મિત્રો ની સાથે જોડાયેલા રહી શકો છો.

શું તમે ફેસબુક ને ડીલીટ કરી ને મેસેન્જર ને રાખી શકો છો?

ફેસબુક ડીલીટ કરી અને મેસેન્જર ને કઈ રીતે રાખવું?

- તમારા ફેસબુક એકાઉન્ટ ની અંદર લોગ ઈન થાવ

- ત્યાર પછી સેટિંગ્સ અને પ્રાઇવસી ની અંદર જય અને સેટિંગ્સ પર ક્લિક કરો.

- પછી યોર ફેસબુક ઇન્ફોર્મેશન ને પસન્દ કરો અને ત્યાર પછી ડીએક્ટિવેશન અને ડિલિટેશન ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી ડિએક્ટિવેટ એકાઉન્ટ ને પસન્દ કરી અને એકાઉન્ટ ડિલિટેશન ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી તમે ફેસબુક ને શા માટે છોડી રહ્યા છો તેના કારણ ને પસન્દ કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરો.

- ત્યાર પછી પૉપ અપ ની અંદર થી ઓપ્ટ આઉટ ઓફ રીસીવિંગ મેસેજીસ ઓન મેસેન્જર ના વિકલ્પ ને ડી સિલેક્ટ કરો અને ત્યાર પછી ડિએક્ટિવેટ ના વિકલ્પ ને પસન્દ કરો.

તમારા ફેસબુક એકાઉન્ટ ને ડિએક્ટિવેટ કર્યા પછી મેસેન્જર નો ઉપીયોગ કઈ રીતે કરવો?

- તમારા સ્માર્ટફોન પર મેસેન્જર એપ ને ડાઉનલોડ કરો.

- ત્યાર પછી ફેસબુક એકાઉન્ટ ની અંદર જે ઇમેઇલ આઈડી અને પાસસવર્ડ નો ઉપીયોગ કરવા માં આવેલ હોઈ તેનો જ ઉપીયોગ કરી અને મેસેન્જર ની અંદર લોગઇન થાવ.

ત્યાર પછી તમારા ફેસબુક ના મિત્રો તમારો કોન્ટેક્ટ ફેસબુક ના ચેટ વિન્ડો માંથી અથવા મેસેન્જર પર થી કરી શકે છે.

શું ફેસબુક ને હંમેશા માટે ડીલીટ કરવા થી મેસેન્જર પણ ડીલીટ થઇ જાય છે?

ફેસબુક ને હમેશા માટે ડીલીટ કરવા ની સાથે જ તમારા પ્રોફાઈલ,પોસ્ટ, ફોટોસ, મેસેજીસ વગેરે જેવી બધી જ વસ્તુઓ પણ હંમેશા માટે ડીલીટ થઇ જાય છે. અને તમે ફેસબુક મેસેન્જર ની અંદર જે પણ જોડ્યું હશે તમે તેને રિકવર નહિ કરી શકો.

તમારું ફેસબુક એકાઉન્ટ ડીલીટ થાય ત્યારે તમારા મિત્રો ને શું જોવા મળે છે?

જો તમે તમારા ફેસબુક એકાઉન્ટ ને ડિએક્ટિવેટ કરો છો તો તેવા સંજોગો ની અંદર તમારા મિત્રો તમારી પ્રોફાઈલ ને ફેસબુક પર સર્ચ કરી શકતા નથી. પરંતુ તમે જે બીજા લોકો ને મેસેજીસ મોકલ્યા છે તે તેઓ જોઈ શકે છે. અને તમે જે બીજા કોઈ ની પ્રોફાઈલ અથવા પોસ્ટ પર કમેન્ટ કરી હશે તેને પણ જોઈ શકાય છે.

ફેસબુક નું એકાઉન્ટ ડીલીટ થતા પહેલા કેટલા સમય માટે ડીએક્ટિવેટેડ રહે છે?

તમે 15 દિવસ કરતા વધુ સમય માટે તમારા ફેસબુક એકાઉન્ટ ને ડિએક્ટિવેટ રાખી શકો છો. અને જો તમે તમારા એકાઉન્ટ ને હંમેશા માટે ડીલીટ કરવા ના વિકલ્પ ને પસન્દ કરો છો તો તેને ડિલિટ કરી નાખવા માં આવશે.

તમે મેસેન્જર ને ડિએક્ટિવેટ કરો છો ત્યારે શું થાય છે?

તમારા મેસેન્જર ને ડિએક્ટિવેટ કરવા થી તમારું એકાઉન્ટ અથવા પ્રોફાઈલ મેસેન્જર ની અંદર જોવા મહી મળે. અને તમારા કોન્ટેક્ટ પણ તમને મેસેજ નહિ મોકલી શકે.

તમે કેટલી વખત મેસેન્જર ને ડિએક્ટિવેટ કરી શકો છો?

તમે મેસેન્જર ને ગમે તેટલી વખત ડિએક્ટિવેટ કરી શકો છો. જોકે ડીએક્ટિવેશન કર્યા પછી તમારે એક્ટીવેશન માટે 24 કલ્લાક માટે રાહ જોવી પડી શકે છે.

મેસેન્જર પર ગ્રીન ટપકા નો અર્થ શું એવો છે કે તેઓ ચેટિંગ કરી રહ્યા છે?

મેસેન્જર ની અંદર વિડિઓ ના આઇકોન ની બાજુ માં જે ગ્રીન ડોટ આપવા માં આવે છે તે જણાવે છે કે જેતે વ્યક્તિ વિડિઓ કોલ કરવા માટે ઉપલબ્ધ છે. જો તમે ફેસબુક ને તમારા કેમેરા ની પરવાનગી આપેલ છે તો તમારા નામ ની અંદર વિડિઓ ના આઇકોન ની આગળ હંમેશા તે ગ્રીન ડોટ રહેશે.

Best Mobiles in India

English summary
Steps To Keep FB Messengers And Delete Facebook: Details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X