Just In
- 7 hrs ago WhatsApp અને Instagram યુઝર્સને મજા જ મજા, હવે AI દ્વારા કરો ચેટિંગ
- 11 hrs ago માત્ર 49 રૂપિયામાં મળશે અનલિમિટે ડેટા, જીયો લાવ્યું આ નવો પ્લાન
- 14 hrs ago Lok Sabha Election માટે ઓનલાઈન ચેક કરો, ક્યાં છે તમારું પોલિંગ બૂથ
- 1 day ago પાસવર્ડ અને મોબાઈલ નંબર વગર Gmail અકાઉન્ટ કરો રિકવર, સ્ટેપ્સ જાણો
એરટેલ દ્વારા નવા સ્માર્ટફોન ની ખરીદી પર રૂ. 6000 નું કેશબેક આપવા માં આવી રહ્યું છે.
જીઓ દ્વારા ટૂંક સમય માં તેમના બેઝિક સ્માર્ટફોન જીઓ ફોન ને લોન્ચ કરવા માં આવી રહ્યો છે. આ સ્માર્ટફોન ને તે લોકો માટે લોન્ચ કરવા માં આવી રહ્યો છે કે જે લોકો ફીચર ફોન પર થી સ્માર્ટફોન પર શિફ્ટ થઇ રહ્યા છે. અને જીઓફોન ની સાથે કંપની વધુ ને વધુ લોકો ને 4જી નેટવર્ક ની સાથે જોડવા માંગે છે. અને આ ઓફર ને ટક્કર આપવા માટે એરટેલ દ્વારા નવા મેરા પહેલા સ્માર્ટફોન નામ ની ઓફર લોન્ચ કરી છે.
મેરા પહેલા સ્માર્ટફોન પ્રોગ્રામ હેઠળ, વપરાશકર્તાઓ જ્યારે નવો સ્માર્ટફોન ખરીદે છે ત્યારે 6,000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. કાર્યક્રમનો સંપૂર્ણ લાભ મેળવવા માટે, ગ્રાહકોએ 36 મહિના માટે 249 રૂપિયા અથવા તેનાથી ઉપરના પ્લાન સાથે તેમના ફોન નંબરને રિચાર્જ કરાવવો પડશે. એરટેલ બે હપ્તામાં કેશબેક ઓફર કરશે - 18 મહિના પછી 2,000 રૂપિયાનો પહેલો હપ્તો અને 36 મહિના પછી બાકીનો 4,000 રૂપિયા. જો કે, તે સમયગાળા દરમિયાન, ગ્રાહકોએ તેમના ફોન નંબરનો ઉપયોગ રૂ. 249 કે તેથી વધુની યોજના સાથે ચાલુ રાખવું જોઈએ. એરટેલ નવા સ્માર્ટફોનની ખરીદી પર 6,000 રૂપિયાનું કેશબેક આપે છે.
અને આ પ્રોગ્રામ ની અંદર જો યુઝર્સ દ્વારા રૂ. 12,000 સુધી નો સ્માર્ટફોન મોટી કંપનીઓ જેવી કે સેમસંગ, શાઓમી, ઓપ્પો, વિવો, મોટોરોલા, નોકિયા વગેરે કંપની ના સ્માર્ટફોન લેવા માં આવે તેના પર એપ્લાય કરવા માં આવે છે. આ પ્રોગ્રામ ની અંદર 150 કરતા પણ વધુ સ્માર્ટફોન ને શામેલ કરવા માં આવેલ છે જેના પર તમે આ ઓફર નો લાભ મેળવી શકો છો. આ સ્માર્ટફોન ની લિસ્ટ વિષે તમે કંપની ની ઓફિશિયલ વેબસાઈટ પર થી જાણી શકો છો.
એ રૂ. 6000 ના કેશબેક ની સાથે યુઝર્સ ને વિંક મ્યુઝિક નું ફ્રી સબ્સ્ક્રિપશન અને એમેઝોન પ્રાઈમ વિડિઓ ટ્રાયલ ની સાથે એરટેલ થેન્ક્સ ના લાભો પણ આપવા માં આવશે. 12000 રૂપિયા સુધીના ફોન માટે સ્ક્રીન રિપ્લેસમેન્ટ 4800 રૂપિયા હોઈ શકે છે; એરટેલ સર્વાઇફાઇ દ્વારા તેના માટે કવર આપશે. જો કે, વન-ટાઇમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર માત્ર ફોન ખરીદીના પ્રથમ વર્ષ દરમિયાન જ માન્ય રહેશે. વપરાશકર્તાઓએ ફોન ખરીદ્યાના 90 દિવસની અંદર એરટેલ થેન્ક્સ એપમાં સ્ક્રીન રિપ્લેસમેન્ટ માટે નોંધણી કરાવવી આવશ્યક છે.
કોઈ પણ પ્રકાર નું કેશબેક મોકલતા પહેલા એરટેલ દ્વારા જેતે ગ્રાહક નો કોન્ટેક્ટ કરવા માં આવશે અને તેના જવાબ ને ગ્રાહકે 15 દિવસ ની અંદર આપવો જરૂરી છે. અને એક વખત જયારે ગ્રાહક દ્વારા એરટેલ નો જવાબ આપવા માં આવે છે ત્યાર પછી કેશબેક ની રકમ ને તેમના એરટેલ પેમેન્ટ બેન્ક ની અંદર ટ્રાન્સફર કરવા માં આવશે. જો કે, એરટેલ પેમેન્ટ્સ બેન્ક ખાતું ફરજિયાત છે, અને ટેલિકોમ ઓપરેટરે સલાહ આપી છે કે જો ગ્રાહકનું એરટેલ પેમેન્ટ્સ બેંકમાં ખાતું નથી, તો ગ્રાહકે કેશબેકની સૂચના મળ્યાના 15 દિવસમાં તે બેંકમાં ખાતું ખોલાવવું જોઈએ.
તાજેતર ના રિપોર્ટ્સ પર થી જાણવા મળ્યું હતું કે એરટેલ દ્વારા જીઓ કરતા વધુ નવા સબક્રાઈબર્સ ને પોતાના ની સાથે જોડ્યા હતા. અને જે લોકો આ ઓફર નો લાભ લેવા માંગતા હોઈ તેઓ ને પણ એરટેલ ની સાથે જોડાવું પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470