સરકાર રિમોટ એરિયા ની અંદર કેબલ ટીવી દ્વારા ઇન્ટરનેટ લાવવા ની યોજના બનાવી રહી છે.

|

ઇન્ડિયા ની નાદર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ને વધારવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા અત્યારે જે કેબલ નેટવર્ક છે તેની સાથે બ્રોડબેન્ડ સેવા આપવા માટે નું પ્રપોઝલ આપવા માં આવી છે.

સરકાર રિમોટ એરિયા ની અંદર કેબલ ટીવી દ્વારા ઇન્ટરનેટ લાવવા ની યોજના બના

મિનિસ્ટ્રી ના ઓફિસીયયલે જણાવ્યું હતું કે આ ચાલ ની અંદર ક્ષમતા છે, કે જેના દ્વારા જે ગામ માં કેબલ ટીવી જાય છે તેવા 19 કરોડ હોઉસહોલ્ડ માં ઇન્ટરનેટ ની સેવા આપી શકાશે. કે જેમાં ના 10 કરોડ લોકો પાસે પહેલા થી જ કેબલ ટીવી નું કનેક્શન ઉપલબ્ધ છે.

થોડા સમય પહેલા જ આખા દેશ ના બધા જ કેબલ ઓપરેટર્સ સાથે એક ડેલિબ્રેશન નું આયોજન કરવા માં આવ્યું હતું. અને તેની અંદર TRIA ના ચેરમેન આર એસ શર્મા એ જણાવ્યું હતું કે આ પગલાં દ્વારા ફિક્સ લાઈન ઇન્ટરનેટ કનેક્ટિવિટી ને પણ ઘણી બધી વધારી શકાશે કે જે અત્યરે 7% છે અને તેની ગ્લોબલ એવરેજ 46% છે.

અને ગ્રાહકો માટે આ ટ્રાન્ઝીશન માત્ર એક સેટોપ બોક્સ બદલવા થી શક્ય થઇ શકશે.

અને સર્વિસ પ્રોવાઇડર ની તરફ આ ઇન્ટરનેટ ની બ્રોડબેન્ડ સેવા માટે મિનિસ્ટ્રી ની એન્જીનીઅરીંગ આર્મ BECIL દ્વારા કેબલ અને બ્રોડબેન્ડ સેવા માટે મદદ સરળ કરી આપવા માં આવશે.

જોકે, સ્ટિકિંગ પોઇન્ટ 8% વાર્ષિક સામાન્ય આવક (એજીઆર) છે - કેબલ ઑપરેટર્સ હાલમાં ટેલિકમૉમ વિભાગને ચુકવણી કરે છે - અને આ સંક્રમણ થઈ જાય તે પછી, તે ફક્ત બ્રોડબેન્ડ સેવાઓ માટે ચૂકવણી કરવી જોઈએ અથવા બન્ને વ્યવસાયોમાંથી મેળવેલી કુલ આવક માટે. લાઇસન્સિંગ અંગેની ચિંતાઓ ઉપરાંત, કેબલ ઓપરેટર્સમાં એવી અટકળો છે કે બંને વ્યવસાયોમાંથી પેદા થયેલી કુલ આવક પર એજીઆર ચૂકવવાથી તેમની નીચલી લાઇન પર અસર થઈ શકે છે.

મંત્રાલયની મધ્ય ડિસેમ્બરની બેઠક અને સેવા પ્રદાતાઓ સાથેની ટ્રાઇની દરખાસ્ત દરમિયાન, શર્માએ દક્ષિણ કોરિયાના ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યો છે, જેણે સમાન દરખાસ્ત અમલમાં મૂકી છે અને તેના કેબલ સેવા પ્રદાતાઓને એજીઆર માફી આપી છે, જેના પરિણામે ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે જેના દ્વારા દેશમાં ફિક્સ્ડ લાઇન નેટવર્ક્સ 93% છે.

ગવર્નમેન્ટ ની અંદર ના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ પોલિસી લાગુ થઇ તેના માટે કેબલ ઓપરેટર્સ અને અને મિનિસ્ટ્રી બંને રાહ જોઈ રહ્યા છે. અને સરકારે કેબલ ઓપરેટર ને જણાવ્યું હતું કે સર્વિસ પ્રોવાઇડર્સ ને આ નવી બ્રોડબેન્ડ ની સેવા માટે કોઈ જ પ્રકાર ની ટેક્નોલોજીસ ને ઈમ્પોઝ નહીં કરવી પડે.

I & B ના સેક્રેટરી અમિત ખારે એ જણાવ્યું હતું કે, કેબલ ટીવી અને બ્રોડબેન્ડ બંને ને અલગ અલગ રીતે ધંધા કરવા જોઈએ અને ત્યાર બાદ જે બ્રોડબેન્ડ સેવા દ્વારા જે પૈસા કમાવવા માં આવી રહ્યા છે માત્ર તેના પર જ ટેક્સ લાગુ કરવો જોઈએ.

તેને અમલમાં મૂકવા માટે હવે દરખાસ્ત એજીઆર માફીની નાણાકીય અસરો પર વિચારણા કરવામાં આવશે. પરંતુ આ બાબત પર જયારે સરકાર અને સર્વિસ પ્રોવાઇડર બંને એક જ બોટ પર છે તેથી આ પોલિસી જલ્દી ઈમ્પ્લીમેન્ટ માં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Government plans to provide internet in remote areas through cable TV networks

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X