મોબાઈલ નંબર લિંક કર્યા વગર Aadhaarને લગતા આ કામ કરો ઓનલાઈન

By Gizbot Bureau
|

આધાર કાર્ડ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે જરૂરી છે. આધાર કાર્ડ આઈડેન્ટિટી પ્રૂફનું કામ કરે છે, તો બીજી તરફ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ આધારભૂત દસ્તાવેજ તરીકે આધાર જરૂરી છે. આપણે જાણીએ છીએ, તેમ તાજેતરમાં જ સરકારે તમામ નાગરિકોને ફરજિયાત પણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા અપીલ કરી હતી.

મોબાઈલ નંબર લિંક કર્યા વગર Aadhaarને લગતા આ કામ કરો ઓનલાઈન

મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે સરળતાથી આધારને લગતા કામ મોબાઈલ ફોન પર પણ કરી શકો છો. જો કે, બીજી તરફ આધારને લગતા બીજા ઘણા કામ એવા છે, જે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક કર્યા વગર કરી શકાય છે. ચાલો, જાણીએ કયા કામ તમે મોબાઈલ લિંક કર્યા વગર પણ કરી શકો છો.

PVC આધાર કાર્ડનો ઓર્ડર

તમે આધાર કાર્ડ સાથે નંબર લિંક કર્યા વગર તમારું પીવીસી આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઉલ્લેખનીય છે કે હોલોગ્રામ ધરાવતા પીવીસી કાર્ડ મોટા ભાગે સીકર હોય છે, જેનો આકાર તમારા વોલેટ જેટલો હોય છે.

PVC કાર્ડના સ્ટેટસનું ફોલોઅપ

આ ઉપરાંત જો તમે ઓલરેડી પીવીસી કાર્ડ ઓર્ડર કરી દીધું છે, પરંતુ તમારે એ જાણવું છે કે તમારું કાર્ડ ક્યારે આવશે, તો આ સ્ટેટસ ચેક કરવા માટે આધાર સાથે મોબાઈલ લિંક કરેલો જરૂરી નથી. તમે એમનેમ પણ સ્ટેટસ ટ્રેક કરી શકો છો.

આધાર એનરોલમેન્ટ અપડેટ સ્ટેટસની તપાસ

જો તમે આધાર કાર્ડ માટે એનરોલમેન્ટ કર્યું છે, તો તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. આ માટે પણ તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જરૂરી નથી. આ ઉપરાંત જો તમે એડ્રેસ અથવા અન્ય કોઈ માહિતી અપડેટ કરી છે, તો તેને ટ્રેક કરવા માટે પણ નંબર લિંક કર્યા વગર માહિતી મેળવી શકો છો.

એનરોલમેન્ટ સેન્ટરની તપાસ

તમે મોબાઈલ નંબર લિંક કર્યા વગર પણ કોઈ પણ આધાર સર્વિસ સેન્ટર શોદી શકો છો. આ માટે તમારે બસ UIDAIની વેબસાઈટ પર જવાનું છે, અને તમારા રાજ્યનું નામ, પિન કોડ એન્ટર કરીને સર્ચ કરવાનું છે.

આધારની વેલિડિટીની તપાસ

ધારો કે તમે તાજેતરમાં જ એડ્રેસ ચેન્જ કર્યું છે, તો આવી સ્થિતિમાં તમે એડ્રેસ વેરિફિકેશન માટે પણ અરજી કરી શકો છો. બાદમાં UIDAI તમારા એડ્રેસની તપાસ કરે છે, આ માટે પણ તમારે મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જરૂરી નથી.

અપોઈન્ટમેન્ટ બૂક કરવી

આધાર એનરોલમેન્ટ અથવા અન્ય કોઈ અપડેટ માટે તમે અપોઈન્ટમેન્ટ બૂક કરવા ઈચ્છો છો, તો પણ તમારે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી નથી.

ફરિયાદ નોંધાવવા માટે

જો તમે આધાર કાર્ડને લગતી કોઈ ફરિયાદ કરવા ઈચ્છો છો, તો તમે UIDAIની વેબસાઈટ પર જઈને કરી શકો છો. આ ઉપરાંત તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને અથવા તો [email protected] પર ઈમેઈલ કરીને ફરિયાદ કરી શકો છો. આ માટે પણ મોબાઈલ નંબર લિંક કરવાની જરૂર નથી.

Best Mobiles in India

English summary
Aadhaar Activities you can do without linking you mobile number

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X