Just In
- 7 hrs ago Amazon પર સસ્તા થઈ ગયા સ્માર્ટફોન, આ ફોન ખરીદો 10 હજારની અંદર અંદર
- 1 day ago Jio, Airtel યુઝર્સ કરી શક્શે eSIMનો ઉપયોગ, બસ આટલું કરવાનું છે
- 2 days ago AIની મદદથી સાવ ફ્રીમાં બનાવો ઈમેજ, આ પાંચ ટૂલ્સ છે એકદમ બેસ્ટ
- 3 days ago Google Pixel 8a ફોનમાં ડિસ્પ્લેથી લઈ કેમેરા હશે જબરજસ્ત, જાણો સ્પેસિફિકેશન્સ
Tips: ફોન ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરવો બ્લાસ્ટનું કારણ નથી
છેલ્લા ઘણા સમયમાં મોબાઈલ ફોનની બેટરી બ્લાસ્ટ થવાના કિસ્સા જેમાં સેમસંગ નોટ 7, આઈફોન 7, સેમસંગ જે 5, સેમસંગ એસ 7 એજ અને બીજા ઘણા મોબાઈલ.
છેલ્લા ઘણા સમયમાં મોબાઈલ ફોનની બેટરી બ્લાસ્ટ થવાના કિસ્સા જેમાં સેમસંગ નોટ 7, આઈફોન 7, સેમસંગ જે 5, સેમસંગ એસ 7 એજ અને બીજા ઘણા મોબાઈલ. કંપનીના જણાવ્યા મુજબ તેઓ કહે છે કે યુઝર કઈ રીતે તેના ફોનને ચાર્જ કરે છે તેના પર આધાર રાખે છે.
સ્માર્ટફોન યુઝરમાં મોબાઈલની બેટરીને લઈને કેટલીક ખોટી માહિતી ફરી રહી છે. જેમાં એવી પણ માહિતી છે કે ફોન ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરવો બ્લાસ્ટનું કારણ બને છે.
રિલાયન્સ જીઓ ને એક નવો સ્પર્ધક મળી ગયો છે! મેળવો 1GB ડેટા અને ટોક ટાઈમ 1 મહિના માટે તે પણ માત્ર 40 રૂપિયા દ્વારા
ખરેખરમાં એવી કોઈ જ ટર્મ્સ અને કન્ડિશન નથી કે તમારે તમારો ફોન ક્યારે અને ક્યાં વાપરવો જોઈએ. સેમસંગ, આઈફોન અને બીજા સ્માર્ટફોનની જયારે બેટરી બ્લાસ્ટ થઇ ત્યારે તેઓ ફોન ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરતા હતા અથવા તો ફોનને આખી રાત તેમને ચાર્જિંગમાં રાખ્યો હતો એવી વાતો ખાલી એક ભ્રમ છે.
ગૂગલ ફોટોસ્કેન એપ તમારી જૂની યાદોને સ્માર્ટફોનમાં જીવિત રાખશે, જાણો
અહીં કેટલાક એવા મિથ આપવામાં આવ્યા છે. જેને કંપનીઓ બેટરી બ્લાસ્ટ થવા માટે ઉપયોગ કરે છે. જે બિલકુલ ખોટા છે.
ફોન ચાર્જ થઇ ગયા પછી પણ તેને ચાર્જ ના કરવો જોઈએ
આ તદ્દન ખોટી વાત છે. આજના સ્માર્ટફોનમાં લિથિયમ લોન રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બેટરી ચાર્જ કરવાની કોઈ જ ટર્મ્સ અને કન્ડિશન નથી. યુઝર ફોનની બેટરી ગમે ત્યારે ચાર્જ કરી શકે છે. તેનાથી ફોનના પરફોર્મન્સ પર કોઈ જ અસર પડતો નથી.
તમે ગમે તે ચાર્જરનો ઉપયોગ કરી શકો છો
આ વાત તદ્દન સાચી છે કે તમે ફોનને ચાર્જ કરવા માટે ગમે તે ચાર્જરનો ઉપયોગ કરી શકો છો પછી તે સસ્તું ચાર્જર હોય કે પછી મોંઘુ. બધા જ ચાર્જર એક સરખા જ કામ કરે છે.
નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
આખી રાત ચાર્જ કરવાથી કોઈ જ ફરક નથી પડતો
આપણે જોયું કે હાલમાં સેમસંગ નોટ 7, આઈફોન 7, સેમસંગ જે 5, સેમસંગ એસ 7 એજ સ્માર્ટફોનમાં ફોનની બેટરી બ્લાસ્ટ થવાના કિસ્સામાં કંપનીએ જણાવ્યું કે તેના માટે આખી રાત ફોનને ચાર્જ કરવો જવાબદાર છે. પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. આખી રાત ચાર્જ કરવાથી ફોનને કોઈ જ ફરક નથી પડતો.
ફોન વાપરતા ના હોય ત્યારે ડિવાઇસને ઓન રાખવામાં કોઈ વાંધો નથી
કેટલાક લોકો કહે છે કે ફોનની બેટરી બચાવવા માટે જયારે ફોનનો ઉપયોગ ના કરતા હોય ત્યારે તેને સ્વીચ ઓફ કરી દેવો જોઈએ. પરંતુ આ વાત તદ્દન ખોટી છે એવું બિલકુલ પણ જરૂરી નથી કે જયારે તમે ફોન વાપરતા ના હોય ત્યારે તમારે તેને ઓફ કરી દેવો જોઈએ.
ચાર્જિંગ કરતી વખતે ફોન ઓફ કરી દેવો
બ્લાસ્ટથી બચાવવા માટે ચાર્જિંગ કરતી વખતે તમારા ફોનને સ્વીચ ઓફ કરી દેવો જોઈએ. આ વાત તદ્દન ખોટી છે. જો કોઈ આવી ઘટના બને છે તો તે ખાલી ને ખાલી કંપનીના મેન્યુફેક્ચરની ખામી માનવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470