સ્માર્ટફોનમાં સુપરકૅપેસિટર, લિથિયમ આયર્ન બેટરીને રિપ્લેસ કરી શકે છે?

હવે તમે વિચારતા હશે કે બધા જ સ્માર્ટફોનમાં બેટરીનો ઉપયોગ કેમ કરવામાં આવે અને કૅપેસિટર કેમ ઉપયોગમાં લેવામાં આવતું નથી. આ સવાલનો જવાબ અમે તમને ચોક્કસ આપીશુ.

By Anuj Prajapati
|

આપણા હાઈસ્કૂલ દિવસોમાં આપણે બધા એ કૅપેસિટર વિશે સાંભળ્યું હશે. કૅપેસિટર એક ડિવાઈઝ છે, જે ઇલેક્ટ્રિકલ ચાર્જ સ્ટોર કરે છે અને તેને ડિલિવર પણ કરે છે. કૅપેસિટર અને બેટરી બંને લગભગ એકસરખું જ કામ કરે છે.

સ્માર્ટફોનમાં સુપરકૅપેસિટર, લિથિયમ આયર્ન બેટરીને રિપ્લેસ કરી શકે છે?

હવે તમે વિચારતા હશે કે બધા જ સ્માર્ટફોનમાં બેટરીનો ઉપયોગ કેમ કરવામાં આવે અને કૅપેસિટર કેમ ઉપયોગમાં લેવામાં આવતું નથી. આ સવાલનો જવાબ અમે તમને ચોક્કસ આપીશુ, તે પહેલા સુપરકૅપેસિટર વિશે થોડું જાણી લઈએ. સુપરકૅપેસિટર એક નવું ચાર્જિંગ કમ્પોનન્ટ છે, જે ખુબ જ ઝડપથી ફેમસ થઇ રહ્યું છે. અમે તમે આ પણ જણાવીશુ કે કેમ સુપરકૅપેસિટર સ્માર્ટફોનમાં લિથિયમ આયર્ન બેટરીને રિપ્લેસ પણ કરી શકે છે.

સ્માર્ટફોનમાં સુપરકૅપેસિટર, લિથિયમ આયર્ન બેટરીને રિપ્લેસ કરી શકે છે?

લિથિયમ આયર્ન બેટરી અને સુપરકૅપેસિટર વચ્ચેનો તફાવત

બેટરી તમને અલગ અલગ શેપ, સાઈઝ અને ટાઈપમાં મળી રહે છે. સ્માર્ટફોનમાં લિથિયમ આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. હાઈ એનર્જી ડેન્સિટીમાં આ બેટરી ઘણો ચાર્જ ડિસ્પ્યુટ સ્ટોર કરે છે. આ સ્માર્ટફોન અને બીજી ઇલેટ્રોનિક ડિવાઈઝ માટે એક યોગ્ય કમ્પોનન્ટ છે.

CES 2017 માં ચાહકો માટે એડવાન્સ રોબોટિક્સ રજુ કરવા માં આવ્યું: કુરી શો સ્ટોપર રહ્યું હોઈ તેવું લાગે છે.

હવે જો કૅપેસિટરની વાત કરવામાં આવે તો તેનામાં ઝડપથી ચાર્જ અને ડિસ્ચાર્જ થવાની ક્ષમતા ધરાવે છે. કૅપેસિટરની ડાઉનસાઇડ છે કે તેઓ તેમની સાઈઝ અનુસાર ખુબ જ ઓછું ચાર્જ થઇ શકે છે. આ ખુબ જ મોટું કારણ છે કે કોમન કૅપેસિટર સ્માર્ટફોનને ચાર્જ કરી શકતા નથી.

સ્માર્ટફોનમાં સુપરકૅપેસિટર, લિથિયમ આયર્ન બેટરીને રિપ્લેસ કરી શકે છે?

સુપરકૅપેસિટર અહીં મોટો રોલ ભજવે છે.

સુપરકૅપેસિટર રીઝનેબલ ચાર્જ સ્ટોર કરવાની ક્ષમતા રાખે છે. સુપરકૅપેસિટરની એનર્જી રેગ્યુલર કૅપેસિટર કરતા 100 ઘણી વધારે હોય છે. જે બેટરી કરતા તો ચોક્કસ ઓછી જ છે. પરંતુ સુપરકૅપેસિટરનો એક ફાયદો છે કે લિથિયમ આયર્ન બેટરી કરતા પણ વધુ ઝડપથી ચાર્જ થઇ શકે છે. સુપરકૅપેસિટર સરળતાથી ખુબ જ ઉંચુ તાપમાન પણ સહન કરી શકે છે.

જાણો કઈ રીતે ઇન્ટેલ કમ્પ્યુટ કાર્ડ આઇઓટી માર્કેટને આગળ લઇ જશે.

જો હાલમાં વાત કરવામાં આવે તો સુપરકૅપેસિટર લિથિયમ આયર્ન બેટરીને સ્માર્ટફોનમાં હાલમાં તો રિપ્લેસ નહીં કરી શકે. પરંતુ ભવિષ્યમાં ચોક્કસ રિપ્લેસ કરી શકે છે. તેના ઘ્વારા ભવિષ્યમાં બની શકે છે કે તમારો સ્માર્ટફોન થોડી સેકન્ડોમાં જ ચાર્જ થઇ જાય.

સ્માર્ટફોનમાં સુપરકૅપેસિટર, લિથિયમ આયર્ન બેટરીને રિપ્લેસ કરી શકે છે?


વધુ એડવાન્સ સુપરકૅપેસિટર આવી શકે છે.

આગળ અમે જણાવ્યું કે ભવિષ્યમાં સ્માર્ટફોનમાં સુપરકૅપેસિટર આવી શકે છે. તેનો મતલબ નથી કે તે નજીકના ભવિષ્યમાં આવી જશે. બની શકે કે સ્માર્ટફોનમાં તેને આવતા દાયકા લાગી જાય. હાલમાં રિસેર્ચ સુપરકૅપેસિટરમાં એનર્જી સ્ટોર કરવા ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહ્યા છે.

સુપરકૅપેસિટર ટેક્નલોજીમાં ઘણી ચેલેન્જ આવી રહી છે.

સુપરકૅપેસિટર માં સૌથી પહેલી અડચણ આવી રહી છે, તેનું ખુબ જ ઝડપથી ડિસ્ચાર્જ થઇ જવું. જો આ ટેક્નોલોજીને સારી રીતે બનાવવામાં ના આવી તો તે એક મોટું ફેલિયર સાબિત થઇ શકે છે.

અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ પણ એક ઓપશન છે. તેના ઘ્વારા સુપરકૅપેસિટર સેકન્ડો માં ચાર્જ થઇ શકે છે. પરંતુ આ પ્રોસેસમાં ખુબ જ વધારે પાવર સપ્લાયની જરૂર પડે છે. તેના માટે ચાર્જર લગભગ લેપટોપ પાવર સપ્લાય જેટલું જોઈએ.

સુપરકૅપેસિટર ટેક્નોલોજી બનાવવા માટે ખર્ચો પણ ધ્યાનમાં રાખવો પડે છે. સ્માર્ટફોનમાં બેટરીને બદલે સુપરકૅપેસિટર ટેક્નોલોજી લાવવા માટે ખુબ જ રિસર્ચ અને ડેવલોપમેન્ટ ની જરૂર પડે છે. તેના માટે ખુબ જ સમય અને પૈસાનો પણ ખર્ચ થાય છે. જો સુપરકૅપેસિટર ટેક્નોલોજી સ્માર્ટફોનમાં ઉપયોગ પણ કરવામાં આવે તો તેના ઘ્વારા સ્માર્ટફોનની કિંમત પર પણ અસર પડે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Here you will get to know if supercapacitors can replace the lithium-ion batteries used in smartphones. Read more...

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X